વિશ્વ હિંદુ પરિષદ બંજરગદળ દુર્ગાવાહીની માતૃ શક્તિ સહિત નાં હિંદુ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ ને રવિવારે રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે
જે શોભાયાત્રા તા. ૧૦ ને રવિવારે સાંજે ૦૪ : ૩૦ કલાકે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠાથી પ્રારંભ થશે અને શહેરના મયુર પુલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબાર ગઢ, ગ્રીન ચોક, નગર દરવાજા, જુના બસ સ્ટેન્ડથી રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામેના રસ્તાથી બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, રવાપર રોડ વસંત પ્લોટ, શાક માર્કેટ અને જેલ રોડ સહિતના વિસ્તારોમાં ફરીને વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા ખાતે પુર્ણાહુતી કરવામાં આવશે જે શોભાયાત્રામાં હિંદુ ભાઈઓ અને બહેનોએ જોડાવવા વિશ્વ હિંદુ પરિષદ સહિતની સંસ્થાઓએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા...