મોરબી સ્વ.મનોજભાઈ સરડવાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે
સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ અર્પવા રક્તદાન કેમ્પનું આયોજન. અવની ચોકડી ખાતે કરવામાં આવ્યું છે.
જિંદગીની સુવાસને ચો-તરફ ફેલાવી પોતાના જીવન દ્વારા સગા વ્હાલા, મિત્ર મંડળ અને પોતાના સંપર્કમાં આવનાર તમામ લોકોના હૃદયમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કરનાર મનોજભાઈ સરડવાની વસમી વિદાયને તારીખ 6/04/2022 ના એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે એ નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન વ્યકત કરવા તેમની યાદમાં શુભકાર્ય કરવાના સંકલ્પરુપે રક્તદાન કેમ્પનું તા. 06-04-22 ને બુધવારે સાંજે 4 થી 6, શિવ પેલેસ, અવની ચોકડી, કેનાલ રોડ મોરબી ખાતે સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા આયોજન કરેલ છે. જેમા રક્તદાન રૂપી મહાદાન કરી આપી શ્રદ્ધાંજલિ અર્પવા કેશવજીભાઇ નરશીભાઈ સરડવા,વિજયભાઈ કેશવજીભાઇ સરડવા,અશ્વિન કેશવજીભાઇ સરડવા, અનિતાબેન મનોજભાઈ સરડવાસમગ્ર સરડવા પરિવારજનો દ્વારા અનુરોધ કરાયો છે
મોરબી તાલુકાના વનાળીયા ગામ થી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ ઉપર પેચવર્ક કરવા માનસર ગામના સરપંચ દ્વારા જીલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જીલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી...
મોરબી શહેરમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી આરોપીને સુરત લાજપોર જેલ ખાતે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા...