સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું સતત ૧૪ માં વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન.
મુંબઈ લાલબાગ ના પ્રખ્યાત મૂર્તિકારો દ્વારા દાદાની ભવ્ય મૂર્તિને આપવામાં આવ્યો આકાર.
સમગ્ર ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ બનેલ “શ્રદ્ધા અને ભક્તિનું અનેરૂ ધામ” સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવનો ૩૧મીથી મંગલ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તમામ ભક્તજનોને ગણપતિ દાદાના ભવ્ય અને વિશાળ સ્વરૂપના દર્શનનો લાભ ૩૧મીથી મળશે.
૨૦૦૯ થી શરૂ કરી આજ ૧૩ વર્ષ બાદ મોરબીવાસીઓ તેમજ તમામ ભક્તજનોના સાથ સહકારથી શ્રી ગણેશ મંડપ સર્વિસ ના માલિક અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ બારૈયા, રાજેશભાઈ બારૈયા તેમજ ઓમ બારૈયા અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ ના ૫૦ કેટલા સભ્યો દ્વારા ૧૪માં વર્ષે પણ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ પાસે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દાદાના પંડાલમાં મુંબઈના લાલબાગના મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવેલ દાદાના વિશાળ સ્વરૂપના દર્શનનો લાભ મળશે.
“સિદ્ધિવિનાયક કા રાજા” ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈ એ જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાંથી વિઘ્નહર્તા સિદ્ધિવિનાયક એ આપણને બહાર કાઢ્યા હોઈ, ત્યારે કોરોનાકાળ બાદ સરકારની મંજૂરી મળ્યા બાદ ગણેશ ઉત્સવ સમિતિના સહકારથી ૨૦૨૨માં ગણપતિ મહારાજના ભવ્ય પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષની દાદાની ભવ્ય મૂર્તિ ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉપરાંત દરરોજ સાંજે ૭:૩૦ કલાકે દાદાની ભવ્ય આરતીનો લાભ શ્રદ્ધાળુઓને મળશે. ઉપરાંત રાત્રે ૧૦ વાગ્યે દાદાની દ્વિતીય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓ દાદાની આરતીનો લાભ લઈ સકે. ત્યારે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા “સિદ્ધિવિનાયક કા રાજા” ગણેશ ઉત્સવના પંડાલમાં દાદાના વિશાળ અને ભવ્ય સ્વરૂપના દર્શન કરવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
હળવદના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી જમીન કૌભાંડ કર્યું હતું જે જમીન કૌભાંડના મુખ્ય આરોપીને હળવદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે નાઓ દ્રારા અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુધ્ધ હળવદ તાલુકાના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના...
મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ખરેખર આવનાર સમયના મોરબીવાસીઓ જે હાલ નાના બાળકો છે તેઓને કયા પ્રકારનું મોરબી જોઈએ છે તે અંગે મોરબી મહાનગરપાલિકા અને નેતાઓને જણાવવા માટે મોરબીના સરદાર બાગ ખાતે પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વિષય પર વક્તૃત્વ...
મોરબી શહેરમાં આવેલ પાવન પાર્ક શેરી નં -02 થી મહેન્દ્રસિંહજી ટીબી હોસ્પિટલ (8ઓરડી)ને જોડતા રસ્તાની વચ્ચે બે વીજપોલ આવેલ છે જે ખૂબ નડતરરૂપ હોય જેથી કોન્ટ્રાકટર દ્વારા રોડનું Pcc કામ શરું કરાયું જેથી સોસાયટીના રહીશો કામ દ્વારા અટકાવી રસ્તા વચ્ચે આવેલ બે વીજપોલ હટાવવા માંગ કરી છે.
મોરબીમાં આવેલ પાવન...