સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી ડો.બાબાસાહેબના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી
મોરબીમાં કોરોના કાળના બે વર્ષ બાદ આજે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતીની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી
જ્યારે સ્વંય સેવક દળ દ્વારા શહેરના વીસીપરા ખાતેથી ગાંધીચોકમાં આવેલી ડો. બાબા સાહેબ આબેકડરની પ્રતિમા સુધી શિસ્તબદ્ધ રેલી કાઢવામાં આવી હતી અને સ્વંય સેવક દળના સૈનિકોએ શિસ્તપૂર્વક ગાંધીચોકમાં આવેલી ડો. બાબા સાહેબ આબેકડરની પ્રતિમા સુધી પહોંચીને ડો. બાબા સાહેબ આબેકડરને સલામી આપી હતી
