શહીદો માટે ફંડ એકત્રીક કરી જોધપર ગામની બહેનોએ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ
દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર વિર જવાનોના પરિવારને મદદ કરવા માટે મોરબી જીલ્લો હમેંશા તત્પર રહ્યો છે. જેમાં મોરબીના યુવા ઉદ્યોગપતિ અને દેશભક્ત અજય લોરીયા દ્વારા અગાઉ પણ શહિદ જવાનોના પરિવારની મદદ માટે લાખો રૂપિયાનું ફંડ એકત્રિત કરી જવાનોના પરિવારોને રૂબરૂ મળીને આપવામાં આવ્યું છે. ત્યારે મોરબીના જોધપર ગામની બહેનો શહીદ પરિવારની મદદ માટે આગળ આવી છે.
જોધપર ગામે હિરલબેન બરાસરા તેમજ તેમની સહેલીઓ દ્વારા શહિદ જવાનના પરિવારની મદદ માટે રૂ.12620 જેટલું ફંડ એકત્રિત કર્યું હતું. જે ફંડ બહેનોએ સામાજીક કાર્યકર અજયભાઈ લોરીયાને અર્પણ કર્યું છે. અજયભાઈ લોરિયા દ્વારા જમ્મુ કાશ્મીરમાં પૂંછમા આતંકી સાથેની અથડામણમાં શહિદ થયેલ હરિશસિંહ પરમાર તથા જયદિપસિંહ સોલંકીના બંન્ને શહિદ પરિવારને 350,000 જેટલી રકમ અર્પણ કરી હતી. ત્યારે અત્યાર સુધીમાં 788620 જેટલું ફંડ આવનાર દિવસોમાં શહિદ જવાનોના પરિવારોને રૂબરૂ મળીને આપવામાં આવશે તેમ અજયભાઇ લોરિયા દ્વારા જણાવાયું હતું.
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...