ટંકારા: હડમતિયા કન્યા કન્યા શાળામાં વિદાય સમારંભ યોજાયો વિધાર્થીનીઓ ૧૮ અને વિધાર્થીઓ ૧૬ કુલ ૩૪ વિધાર્થીઓનો ધોરણ -૮ નો વિદાય સમારંભ યોજાયો.
ટંકારા તાલુકાના હડમતિયા કન્યા તાલુકા શાળામાં આજ રોજ વિદાય સમારંભ યોજાઈ ગયો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મિશન સ્કુલ્સ ઓફ એક્સેલન્સ ( SOS) નું અનાવરણ કર્યું.
તા. 21/4/2023 ને શુક્રવારના રોજ રાજ્ય સરકાર દ્વારા મળેલ ત્રણ સ્માર્ટ બોર્ડ તથા ત્રણ લેપટોપનું એસએમસી અધ્યક્ષ સોનલબેન બાલજીભાઈ ઘુણલીયા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું.
ત્યારબાદ ધોરણ 1 થી 8 જ્યાં અભ્યાસ કર્યો છે તેમની માતૃશાળા છે તેવા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજી વિદાય આપવામાં આવી જેમાં કન્યા તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા દ્વારા ઉદ્બબોધન તથા શાળા પરિવાર વતી આગળ વધો તેવી શુભેચ્છા પાઠવવામાં આવી. બાદમાં ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને ભેળનો ભરપેટ નાસ્તો કરાવી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી
મુળ સગાળીયા ગામના વતની હાલ મોરબી (ચભાડીયા કુટુંબ) ના નિવૃત DySP સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા ના સ્મરણાર્થે, તેમના જયેષ્ઠ પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા આયોજીત અને તેમના પૌત્ર ડૉ. સત્યજીતસિંહજી કૃષ્ણસિંહજી જાડેજા દ્વારા પ્રેરિત, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડૉકટર્સ એસોસિએશન તેમજ મોરબી રાજ પરિવારના સહયોગ થી તારીખ ૨૨...
મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ વાઇડ એન્ગલ સેનેટરી કારખાનામાં ઈલેક્ટ્રીક શોક લાગતા સગીરનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અરવિદભાઇ સંતોષભાઇ સિસોદીયા (ઉ.વ.૧૪) રહે.રંગપર ગામની સીમ, વાઇડએન્ગલ સેનેટરી વેર વાળાને વાઇડએન્ગલ સેનેટરી વેરમા શોક લાગતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ફરજ પરનાતબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ...
હળવદમાં રહેતા યુવકને પંદર વર્ષ પહેલાં મંદિરના વહીવટ બાબતે તેના પીતા તથા તેના કોટુંબીક ભાઈઓ સાથે ઝગડો તકરાર થયેલ જેનો ખાર રાખી યુવકને એક શખ્સે લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ આંબેડકરનગર -૦૧મા રહેતા ઉમેશભાઈ બચુભાઈ...