તા.૮/૫/૨૨ ના રોજ એટલે મધર્સ ડે ના દિવસે વાંકાનેર તાલુકામાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવામાં
એક પીડિત મહિલાનો કોલ આવેલ કે તેના આઠ વર્ષના બાળકને તેના પતિ લઈને જતા રહ્યા છે તુરંત મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત ૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતાનાં લગ્ન ને ત્રણ વર્ષ થયા છે અને તેને આઠ માસ નું નાનું બાળક છે સાસરીમાં અવાર નવાર નાની નાની બાબતોમાં થતા ઝગડાથી કંટાળીને આઠ માસના બાળક સાથે પિયરમાં આવેલ હતા ત્યારે આજરોજ તેમના પતિ તેને સાસરીમાં લઈ જવા આવેલા પરંતુ વારંવાર ઝગડાઓથી કંટાળી સાસરીમાં પાછા જવા માંગતા ન હતા તેથી તેના પતિ તેના આઠ માસના નાના બાળકને લઈને જતા રહ્યા છે તેનું બાળક સ્તનપાન જ કરતું હોવાથી વધારે ચિંતિત જણાતા હતા ત્યારબાદ પીડિતાને આશ્વાસન આપી, તેના સાસરીમાં સાથે લઈ જઈ ત્યાં બંન્ને પક્ષોનું કુશળ કાઉન્સિલિંગ કરી નાના બાળક અને ઘરમાં થતાં નાના મોટા જગડાઓ બાબતે સમાધાનકારી નિરાકરણ લાવતા તેના પતિ એ રાજીખુશીથી બાળકને તેના પત્નીને શોપ્યું હતું
આમ મધર્સ ડેના દિવસે માતાની હુંફ થી વંચિત આઠ માસના નાના બાળકને તેની માતા સાથે મિલન કરાવેલ
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...