હળવદ તાલુકાના મયુર નગર ગામે સ્વામિનારાયણ મંદિર આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીમદ સત્સંગીજીવન પારાયણનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રીજી સ્વરૂપ સ્વામી હળવદના આશીર્વાદથી આયોજન કરવામાં આવ્યું
આ પાંચ દિવસીય આયોજન માં અલગ અલગ દાતાઓના સહયોગથી 15 મેથી શરૂ થયેલ મહોત્સવ 19 મે સુધી ચાલશે કથાના વક્તા શ્રી વ્રજ વલ્લભદાસ સ્વામી મુળી ધામ તેમજ દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી મહંત શ્રી ચરાડવા તેમજ અલગ-અલગ વક્તાઓ તેમજ સંચાલકો દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજનમાં સૌપ્રથમ પોથીયાત્રા ત્યારબાદ ઘનશ્યામ જન્મોત્સવ લોક સાહિત્યકાર સાંસ્કૃતિક કાર્યક્રમ કીર્તન હિંડોળા ઉત્સવ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ૧૯ મેના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે....
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે...
હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નર્મદા કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામનાર સ્ત્રીની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૬/૦૮/૨૦૨૫ ના ૧૪:૩૫ કલાક પહેલા કોઇપણ સમયે હળવદમાં અમૂલ ફર્નીચર શો રૂમની પાછળ આવેલી નર્મદા કેનાલમાં ડુબી જવાથી સ્ત્રીનું મોત નીપજ્યું...