હળવદ તાલુકાના મયુર નગર ગામે સ્વામિનારાયણ મંદિર આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીમદ સત્સંગીજીવન પારાયણનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રીજી સ્વરૂપ સ્વામી હળવદના આશીર્વાદથી આયોજન કરવામાં આવ્યું
આ પાંચ દિવસીય આયોજન માં અલગ અલગ દાતાઓના સહયોગથી 15 મેથી શરૂ થયેલ મહોત્સવ 19 મે સુધી ચાલશે કથાના વક્તા શ્રી વ્રજ વલ્લભદાસ સ્વામી મુળી ધામ તેમજ દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી મહંત શ્રી ચરાડવા તેમજ અલગ-અલગ વક્તાઓ તેમજ સંચાલકો દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજનમાં સૌપ્રથમ પોથીયાત્રા ત્યારબાદ ઘનશ્યામ જન્મોત્સવ લોક સાહિત્યકાર સાંસ્કૃતિક કાર્યક્રમ કીર્તન હિંડોળા ઉત્સવ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ૧૯ મેના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમીક શાળામાં ધો-૧ થી ૮ પૈકી ૧ વર્ષનો અભ્યાસ કરેલ હોય, ધોરણ-૧૨ માં વર્ષ ૨૦૨૫ માં ૭૫ % થી વધુ માર્ક્સ મેળવેલ હોય, હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય અને જેમના કુટુંબની વાર્ષિક આવક ૫ (પાંચ) લાખ કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ...
મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ઉંચી માંડલ ગામ નજીક આવેલ સાઈન સિરામિક કારખાનામાં રહેતા જીતેનભાઇ સુરસિહ ડાવર ઉ.વ ૩૦ વાળો કોઇ પણ કારણોસર મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમા પડી ડુબી જતા...
મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટી-૦૨ માં રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ૪૪ બોટલ કિં રૂ. ૪૯,૪૦૦ ના મુદ્દામાલ સાથે એક મહિલાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મૂળ જામનગર જિલ્લાના લતીપર ગામના...