રક્તદાતાઓ નેં ખોખરા હનુમાનજી ની પ્રતિમા ભેંટ આપવામાં આવશે
મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ના માજી સરપંચ સ્વ: અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે બોપલીયા પરિવાર દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવા સત્સંગ સંધ્યા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ સંધ્યા તા.3ને મંગળવારના રોજ રાત્રે 8 કલાકે CNG પંપ ગ્રાઉન્ડ, મહેન્દ્રનગર ખાતે અને બ્લડ ડોનેશન કેમ્પ સવારે 8:30 કલાકે યોજાશે.
માજી સરપંચ, મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યોમાં પોતાનું સંપૂર્ણ જીવન કાર્યો કરીને પ્રજાના હૃદયમાં સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગરના યુવાનો દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનકેશ્વરીદેવી તથા સંતોની હાજરીમાં લોકપ્રિય ભજનિક શૈલેષ મહારાજ, વિવેક સંચલા તેમજ યુવા સાહિત્યકાર રવીન્દ્ર સોલંકી શ્રદ્ધાસુમન અર્પણ કરશે. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી અમદાવાદ, સુરત, રાજકોટ, અને રાજસ્થાનની ચાર યુવતી સહિત 11 ઝડપાયા
ગીર નેચરલ ફાર્મમાં ચાલતી પાર્ટી પર દરોડો પોલીસને બાતમી મળી હતી કે, અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી...
મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં...