રાજ્યભરમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લામાં કુલ નોંધાયેલા 18180 માંથી7189 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્રએ ખાસ તકેદારી રાખી હતી તે ઉપરાંત પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોને મુશ્કેલી ના પડે તે માટે સંસ્થાઓએ રહેવા સહિતની વ્યવસ્થા કરી હતી તો પોલીસ ટીમોએ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાની તૈયારી રાખી હતી અને આજે યોજાયેલ પરીક્ષામાં મોરબી જીલ્લામાં કુલ 18,180 માંથી 10,991 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો 7189 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે જય દ્વારકાધીશ હાઇટસ સામે રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે...