મોરબી : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના રહેવાસી અને ઘુંટુ નજીક આવેલ ઉમા રેસીડેન્સી નામની સોસાયટીમાં મામામાં ઘરે વેકેશનની રજાઓ ગાળવા આવેલ બાળક પર્વ ભાવેશભાઈ વિડજાનું તેનાં મામાના ઘર નજીક પાનની દુકાન ચલાવતો રાજેશ જગોદરા પોતાના બાઈકમાં અપહરણ કરી નાસી ગયો હતો જે ઘટનાને પગલે મોરબી તાલુકા પોલીસ સહિત એલસીબી ટીમ બાળક અને રાજેશ જગોદરાનો પતો મેળવવા કામે લાગી હતી અને ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસ દ્વારા રાજેશ જગોદરાને ટ્રેસ કરવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ ગ્રામ્ય અને જામનગર સહિતના આજુબાજુના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું ત્યારે આજે મોડી રાત્રે અપહરણ થયેલ બાળક પર્વ સાથે આરોપી રાજેશ જગોદરાને મોરબી એલસીબી ટીમે જામનગર એલસીબીની મદદથી જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી ઝડપી લીધાના સમાચાર મળતા બાળકના પરિવારજનો અને પોલીસે રાહતના શ્વાસ લીધા છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ દ્વારા દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે છેલ્લા ૬ મહિના થી મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રહેતા નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા શ્રી જલારામ ધામ-મોરબી...
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, દિલ્હી (NDMA) ની ટીમે મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં પીપીટીના માધ્યમથી જિલ્લામાં ભારે વરસાદથી પૂર, વાવાઝોડા, ઉધોગ ગૃહોમાં અકસ્માતો, ગેસ લીકેજ વગેરે જેવી સંભવિત આપત્તિના સમયમા આફતગ્રસ્તો માટે રાહત બચાવની કામગીરી, તે માટેનું જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાની કમિટીના...