મોરબી : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના રહેવાસી અને ઘુંટુ નજીક આવેલ ઉમા રેસીડેન્સી નામની સોસાયટીમાં મામામાં ઘરે વેકેશનની રજાઓ ગાળવા આવેલ બાળક પર્વ ભાવેશભાઈ વિડજાનું તેનાં મામાના ઘર નજીક પાનની દુકાન ચલાવતો રાજેશ જગોદરા પોતાના બાઈકમાં અપહરણ કરી નાસી ગયો હતો જે ઘટનાને પગલે મોરબી તાલુકા પોલીસ સહિત એલસીબી ટીમ બાળક અને રાજેશ જગોદરાનો પતો મેળવવા કામે લાગી હતી અને ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસ દ્વારા રાજેશ જગોદરાને ટ્રેસ કરવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ ગ્રામ્ય અને જામનગર સહિતના આજુબાજુના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું ત્યારે આજે મોડી રાત્રે અપહરણ થયેલ બાળક પર્વ સાથે આરોપી રાજેશ જગોદરાને મોરબી એલસીબી ટીમે જામનગર એલસીબીની મદદથી જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી ઝડપી લીધાના સમાચાર મળતા બાળકના પરિવારજનો અને પોલીસે રાહતના શ્વાસ લીધા છે.
મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે.
એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન ભૂતપૂર્વ...
મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે...
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...