મોરબીના પૂર્વ DDO અને સુરેન્દ્રનગરમાં કલેકટર રહી ચૂકેલા આઈએએસ ઓફિસર કે. રાજેશના નિવાસસ્થાન સહીત અનેક સ્થળોએ દિલ્હીથી CBI ના અધિકારીઓની ટીમે દરોડા પાડતા રાજ્યભરના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત વતનના નિવાસસ્થાને CBI દ્વારા એકસામટા દરોડા પાડવામાં આવ્યા છે. જમીનની ફાઈલો ક્લીયર કરવામાં તથા હથિયાર લાયસન્સ ઈસ્યુ કરવામાં જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે CBI દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ આંધ્રપ્રદેશના વતની અને મોરબીમાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા તેમજ વર્ષ 2011 ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી એવા કે. રાજેશના નિવાસ્થાને CBI ની ટીમ દ્વારા ગઈકાલે મોડી રાતથી દરોડા પાડીને તપાસ શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત કે. રાજેશના ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર અને આંધ્રપ્રદેશમાં તેમના વતનના નિવાસસ્થાને એકસામટા દરોડા પાડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં કલેક્ટરના કાર્યકાળ દરમિયાન જમીનની ફાઈલો ક્લીયર કરવાના અને હથિયારના લાયસન્સ આપવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદો હતી. તમામ પ્રાથમિક ફરિયાદો પર તપાસ કર્યા બાદ દિલ્હી યુનિટ ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને તેના આધારે દિલ્હી યુનિટની CBI ટીમ ગઈકાલે ગાંધીનગર આવી હતી ત્યારબાદ એકસામટા દરોડા શરુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભ્રષ્ટાચારમાં કેટલાક વચેટીયાઓ પણ સામેલ હોવાની માહિતી મળી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને દરોડાની કાર્યવાહી દરમિયાન ભ્રષ્ટાચારને લગતા દસ્તાવેજો મળી આવવાની અને તેના આધારે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...