મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે એક હડકાયા કૂતરાએ આંતક મચાવતા એક ડઝનથી વધુ લોકોને બચકા ભરતા આવાં લોકોને ફરજિયાત સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી પડી છે
મહેન્દ્રનગર ગામ ખાતે રહેતા અલ્પેશભાઈ ઓડીયા એ જણાવ્યું હતું કે મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા સોસાયટી માં એક હડકાયા કૂતરાએ રીતસર આંતક મચાવતા દસ થી વધુ લોકોને બચકાં ભરી લેતા આવા લોકો સિવિલ હોસ્પિટલ ખાતે હડકવાની રસી લેવાની ફરજ પડી હતી હજુ પણ હડકાયા કુતરાનો આંતક યથાવત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જવાબદાર તંત્ર પાસે આવાં હડકાયા કૂતરા ને કાબૂમાં લેવા કે પકડવા માટે કોઈ સર સાધન ન હોય લોકો મા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા...