મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો હેતુ શાળામાં પડતી અગવડતાઓની વિગત અને વિડિઓ બનાવી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાનો છે.આ માટે વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યા હતા.
આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ મોરબી જિલ્લા પ્રભારી શિવાજી ભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા ના માર્ગદર્શન હેઠળ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવી હતું. જેમાં મુખ્ય મુદ્દો દિલ્હીથી પધારેલા માનનીય શિક્ષણ મંત્રીશ્રી મનીષ સિસોદિયા જી જ્યારે ગુજરાતના પ્રવાસ કરી ભાવનગરની અમુક સ્કૂલો ની મુલાકાત કરી અને તે સમયે આમ આદમી પાર્ટી દ્વારા એક whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો હતો જે નંબર પર તમામ કાર્યકર્તાઓ દ્વારા તેના ક્ષેત્રની તમામ સ્કૂલો ની મુલાકાત લઇ અને જે સ્કુલોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ હોય અથવા એ સ્કૂલનો બિલ્ડીંગ ખરાબ હોય તો તેમના ફોટા અને વિડીયો બનાવી તે નંબર પર મોકલવા જેથી કરી તે તમામ વિગતો આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પ્રધાનમંત્રી શ્રી સુધી પહોંચાડી શકે. આ પ્રેસ કોન્ફરન્સ પરેશભાઈ પારિયા, ચેતનભાઇ લોરીયા મોરબી જિલ્લા મંત્રી તથા ભવદીપ સિંહ ઝાલા મોરબી શહેર યુવા પ્રમુખ એ સંબોધી હતી જેમાં મોરબી જિલ્લા ટીમ, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ટીમ તથા કાર્યકર્તાઓ હાજર હતા.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...