મોરબી: મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારાદર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમના દીવસે સમાજની બહેનો તથા દીકરીઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રાસોત્સવમાં સમાજની બહેનો અને દિકરીઓએ પારંપરિક વેશભૂષાથી સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવી હતી.આ રાસ ગરબા કાર્યક્રમમાં સારૂ પ્રદર્શન કરનાર બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મોરબી રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ શરદપૂનમ રાસોત્સવમાં સારૂ પ્રદર્શન કરનાર બહેનોને વેલ ડ્રેસ, વેલ સ્ટાઇલ, વેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.આ શરદોત્સવમાં જયદીપ કંપની વાળા દિલુભા જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા, દેવ સોલ્ટ પરિવારના સભ્યો અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોરબીમાં રાજપૂત સમાજના ટ્રસ્ટનાં ટ્રસ્ટી બનાવા માટે ૧૧ લાખ રૂપિયા સમાજમાં આપવાનું નક્કી થયા બાદ મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા, મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, દિલીપસિંહ જીવુભા ઝાલા, મેઘરાજસિંહ નરભેસિંહ ઝાલા, નરવીરસિંહ વિજયભાઈ ઝાલા, રઘુવીરસિંહ ઝાલા તથા નાગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ સમાજના ટ્રસ્ટમાં ૧૧-૧૧ લાખ રૂપિયા જમા કરાવી સમાજના ટ્રસ્ટી બન્યા છે.
તેમજ શરદોત્સવના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
ટંકારા તાલુકાના વિરપર ગામે તથા લજાઇ ગામે ભરડીયા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા કુલ-૧૦ આરોપીઓને રોકડા રૂપીયા-૪૧,૬૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે...
મોરબીમાં દિવસે ને દિવસે ક્રાઈમમા વધારો નોંધાય રહ્યો છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં પારેખ શેરીમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી બાઈક પર આવેલ ગાઠીયો રૂપિયા એક લાખ પાંચ હજારની કિંમતનો સોનાનો ચેઈન ઝુંટવી ગયાની ફરીયાદ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોકમાં શીવા ડોક્ટરની પારેખ શેરીમાં...