મોરબી: વડસાવિત્રી વ્રતની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. પતિના લાંબા આયુષની કામના સાથે મહિલાઓ વડસાવિત્રીનું વ્રત કરતી હોય છે. ત્યારે મોરબીની મહિલાઓ માટે વડસાવત્રી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મોરબીના પ્રસિદ્ધ શાસ્ત્રી રસિકભાઈ કે વ્યાસ દ્વારા વડસાવત્રી વ્રતના મહાવદ પૂનમ (૧૫) મંગળવારના તા.૧૪-૦૬-૨૦૨૨ના રોજ અવસર સાડી સેન્ટર પાસે, રવાપર રોડ મોરબી ખાતે મહિલાઓ માટે વટ પૂર્ણિમા વ્રતની પૂજા વિધિ કરવામાં આવશે. તથા વધુ માહિતી માટે મો.9879995346 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ...
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં ગાંડવી કેમીકલ કારખાના પાસે કલપતરુ કપંની દ્વારા ગ્રીડ ૭૬૫ કેવી લાકડીયા અમદાવાદ વીજલાઇનમા નાખવામાં આવેલ જેમાં ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર જેની કિંમત રૂપિયા ૧૩,૫૦,૦૦૦ની અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી અન્ય ચીજવસ્તુઓની નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની...