મોરબીમાં હોળીના દિવસે રોહીદાસપરા માં મિત્રો સાથે હોળી ઠેંકતી વખતે પાણીમાં પડી જતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો
વિશાલ ઉર્ફે લલિત દલપત ભાઈ ચૌહાણ(ઉ.વ.૨૫) હોળીની રાત્રે નવ વાગ્યે ઘર નજીક હોળી પ્રગટી હોય દર્શન કર્યા બાદ મિત્રો સાથે હોળી ઠેકવા ની રમત માં જોડાયો હતો આ વખતે લલિત નું ધ્યાન ભંગ થઈ જતા તે સળગતી હોળી ઓળંગી નહોતો શક્યો અને વચ્ચોવચ પડ્યો હતો ત્યાં બીજા લોકો હાજર હોય તેને માંડ માંડ કરી બહાર કાઢ્યો હતો અને મોરબી હોસ્પિટલમાં ખસેડાયો હતો વધુ દાઝી ગયું હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન ગત રાત્રે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે
મોરબીના સામાકાંઠે આવેલ નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભવ્ય ભાગવત કથાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરુ મહંતશ્રી ભાવેશ્વરીમાં (રામધન આશ્રમ) દ્વારા ભવ્ય ભાગવત કથાનું સગીત મય શૈલીમા રસપાન કરાવશે.
આ કથાનો પ્રારંભ તા. 23-12-2025 થી 29-12-2025 સુધી કથાનો દરોજ સમય બપોરે 2:00 થી 6:00 વાગ્યે...
મોરબી એસઓજી પોલીસે મોરબી શહેર તથા લાલપર ગામમાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. જેમાં પરપ્રાંતિય મજુરોને મકાન ભાડે આપી તેમની માહિતી પોલીસને ન આપનાર ત્રણ ઇસમો સામે ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
પ્રાંત માહિતી મુજબ મોરબી એસઓજી દ્વારા પરપ્રાંતિય મજુરો બાબતે જાહેરનામાનો અમલ કરાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં...