જાહેર આરોગ્ય જાળવવા યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ કરી
મોરબી: મોરબી જિલ્લા કલેક્ટ જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સંચારી રોગચાળા અટકાયતી, PC-PNDT એડવાઈઝરી કમિટી, મેલેરિયા સંકલન સમિતિ, તમાકુ નિષેધ અને સ્વચ્છતા તથા DGRC, PM-JAY સમીક્ષા વગેરેની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટર જી.ટી. પંડ્યાએ આરોગ્ય વિભાગ પાસે રહેલા દવાના સ્ટોક, ક્લોરિન પાવડર-ટેબલેટ વગેરેનો જથ્થો, કોવીડની પરિસ્થિતિ અને ઑક્સિજન પ્લાન્ટની સ્થિતિ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઉપરાંત જાહેર આરોગ્ય જાળવવા યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં તેમણે બસ સ્ટેન્ડ પર કે બસ અથવા અન્ય કોઈ પણ જાહેર જગ્યાએ કોઈ વ્યક્તિ ગંદકી કરે કે ધૂમ્રપાન કરે તો તેને તાત્કાલિક દંડ કરવા સૂચના આપી હતી. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ શું શું આયોજન કરવામાં આવ્યું છે, મેલેરિયા અન્વયે નિયમિત કેટલા સર્વે કરવામાં આવે છે તથા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા દવે, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. સરડવા સહિત આરોગ્ય વિભાગ તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...