શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવનાર ત્રણ યુવાનોનું સન્માન કરાયું
મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામના જેપુર સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના તમામ પરિવારો એક સાથે એકત્ર થાય છે અને સારા કાર્યો કરનાર વ્યક્તિ તથા બાળકોનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે આ વર્ષના કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે તા. 29 મે ને રવિવારના રોજ મોરબીના સરસ્વતી ફાર્મ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું કાર્ય કરીને ખ્યાતિ મેળવનાર વિજયભાઈ દલસાણીયા, એમ.બી.બી.એસ. ની પદવી મેળવનાર વિવેક કાવઠિયા તથા સી.એ. ની પદવી મેળવનાર કૈલાશ શેરશીયાનું સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પરિવારોએ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે તમામ દાતાઓ કૈલાશ બાલુભાઈ સાણજા, નરેન્દ્રભાઇ રણછોડભાઈ દલસાણિયા, કેતનભાઈ પ્રભુભાઈ દલસાણિયા તથા અલગ અલગ રીતે મદદરૂપ બનનાર તમામનો આભાર વ્યક્ત કરે છે. આ કાર્યક્રમનું આયોજન સારી રીતે થાય તે માટે ધીરુભાઈ સાણજા, કનુભાઈ સાણજા, વિજયભાઈ દલસાણિયા, હસમુખભાઈ સાણજા, હર્ષદ કાવઠિયા સહિતના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વિજયભાઈ દલસાણિયાએ લોકોમાં સંસ્કારો જળવાઈ રહે, વ્યસનો દુર થાય, એકતા વિકસે અને બાળકો વિચારશીલ બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું અને સફળ સંચાલન કર્યું હતું.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...