મોરબીમાં ખનીજ ચોરી મા માત્ર ખાણ ખનીજ વિભાગની જવાબદારી હોય તેમ ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરી પકડે છે. પણ તેમની સતત જાસુસી થતી હોય ખાણ ખનીજ વિભાગ નાં અધિકારીઓ ખનીજચોરી કરનારાઓ પાસે પહોંચે તે પહેલા જ આવી જાસુસી કરતા લોકો ખનીજ ચોરોને જાણકારી આપે છે.
પરંતુ ગઈકાલે રાત્રે આવી જાસુસી કરનારાઓની આંખમાં ધૂળ નાખીને ખાણ ખનીજના અધિકારીએ ખનીજ ભરેલા પાસ પરમીટ વગર ના બે ડમ્પર પકડી પાડયા છે.પ્રાપ્ત થયેલી વિગત મુજબ ગઈ કાલની રાત્રે તારીખ ૨-૬-૨૦૨૨ ના રોજ ખાણ ખનીજ વિભાગ ની ટીમ નાં રોયલ્ટી ઇન્સ્પેકટર રવીભાઈ કણસાગરા, ગોપાલભાઈ ચંદારાણા, મિતેશભાઈ ગોજીયા, ગોપાલભાઈ સુવા દ્વારા ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલું અને તે દરમ્યાન માળિયા ફાટક ના બ્રિજ પર થી એક ડમ્પર કાબ્રોસેલ ખનીજ ભરેલ અને એક ડમ્પર ફાયરકલે ખનીજ ભરેલા હતા તેના ચાલક પાસેથી રોયલ્ટી પાસ વગર વાહન હોય બન્ને ડમ્પર નેં પકડીને મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકે રાખવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ના સરકારી વાહન ની પાછળ સતત ઇકો ગાડી થી જાસુસી કરવા અને વોચ રાખવા પૈસા લઈ વોટ્સએપ ગ્રૂપ ચલાવે છે. અને સરકારી ગાડી નું સતત લોકેશન આપે છે જેથી સરકારી ગાડી ખનીજ ચોરો પાસે પોહચે એ પહેલા જ તેઓ ભાગી જાય છે અને રેડ નિશફળ જાય છે અને ખનીજ ચોરો ને પ્રોત્સાહન મળે છે. અને ખનીજ ચોરી ચાલુ રહે છે. અને સરકારની તિજોરીની રોયલ્ટી ની આવકનું કરોડો નું નુકસાન જાય છે. અને ખાણ ખનીજ ના અધિકારીઓને જીવના જોખમે ખાનગી વાહનમાં ચેકીંગ કરવાની ફરજ પડે છે.
અહીં એ વાત જણાવી દઈએ કે ખનિજ ચોરી બંધ કરાવવા માટે ની જવાબદારી તાલુકા લેવલે મામલતદાર અને તાલુકા પોલીસ અધિકારી ની જવાબદારી છે. જિલ્લા કક્ષાએ કલેકટર, પોલીસ અધિક્ષક, અને ખાણ ખનીજ વિભાગ, તેમજ તે પ્રમાણે રાજ્ય લેવલે જવાબદારી નાખવામાં આવી છે. પણ મોટેભાગે ખાણ ખનીજ વિભાગ નેં બાદ કરતાં એક પણ અધિકારી ની ઠોસ કામગીરી નથી તેવુ જોવા મળે છે.
મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઇ ગાવડ (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબીના વીશીપરામિ રહેતો યુવક ગુમ થયેલ હોય ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.૩૫) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી...
હળવદમાં રહેતા અને નોકરી કરતી મહિલા પાસેથી એક શખ્સે ઉછીના પૈસા લઈ પરત દેવા માટે હળવદ મોરબી ચોકડી પાસે બોલાવી મહિલાને પૈસા પછા નહીં આપી ચાર શખ્સોએ જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી હળવદ રોડ ઉપર...