રોટરી ક્લબ હળવદ અને રોટરી ક્લબ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી કાનની બહેરાશવાળા લોકો માટે શિશુમંદિર રાધનપુર ખાતે નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાધનપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ૧૫૦ થી વધુ ભાઇઓ, બહેનોને શ્રવણ યંત્ર સહાય વિનામૂલ્યે કરવામાં આવી હતી.તો કેમ્પમાં આવનાર દરેકને ચકલીઘર ભેટ આપવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...
હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
“ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી...
મોરબીના સામાકાંઠે ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં રહેતા આરોપી અગાઉ હથીયારના ગુન્હામાં પકડાયેલ હોય અને યુવક ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકને ધોકા વડે મારમારી તથા યુવકને છરી વડે ઈજા કરી હોવાની સિટી બી ડિવિઝન...