વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજ ખાતે ગઈકાલના રોજ એન.સી.સી.ના કેડેટોને જુદા જુદા હથિયારો વિશે માહિતગાર કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી રાયફલ કઈ રીતે કામ કરે છે ?, કેટલા ભાગમાં ખોલવામાં આવે છે ?, કઈ રીતે તેને જોડવામાં આવે છે ?, રાયફલ સાથે પરેડ, રાઇફલ સાથે સેલ્યુટ, રાઇફલ સાથે સલામી અને ફાયરિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું સહિતની બાબતો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી…
આ સાથે જ વિદ્યાર્થીઓને મેપ રીડિંગમાં કઈ રીતે મેપ સેટીંગ કરાય છે ? તેમજ કંપાસ કઈ રીતે કામ કરે છે ? તેની પૂરી માહિતી 26 ગુજરાત બટાલિયન એન.સી.સી. સુરેન્દ્રનગરથી ચાર આર્મી ઓફિસર અને એન.સી.સી. ઓફિસર કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડા સાહેબ દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા અને કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો
મોરબી તાલુકાના રંગપર ગામના બસ સ્ટેન્ડ સામે લીઝાર્ટ સીરામીકની બાજુમાંથી આઇ-૧૦ કારમાથી વિદેશી દારૂની ૦૩ બોટલ જેની કિંમત રૂપિયા ૩૯૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૫,૦૩,૯૦૦ નાં મુદામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન આરોપીએ પોતાના કબ્જા ભોગવટા...
મોરબીના કંડલા બાયપાસ પાસે મચ્છુ -૦૩ ડેમમાં પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી ગયેલ દીલીપકુમાર નારણભાઈ ચુડાસમા (ઉ.વ.૪૮) નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...