મોરબી: શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા આ સમૂહ લગ્નોત્સવમાં લોહાણા સમાજ ના વડીલો ,આગેવાનો , શ્રેષ્ઠીઓના આશીર્વચન સાથે યોજવામાં આવશે.
સમાજના ખોટા ખર્ચાઓ, દેખા-દેખીથી લગ્નમાં થતા ખર્ચાઓને તિલાંજલિ આપીને સમૂહ લગ્નમાં બહેનો ઓ – દીકરીઓના લગ્ન કરવા જોઈએ. શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ ખૂબ જ શાનદાર રીતે આયોજન કરવામાં આવશે.
સમિતિ તથા દાતાઓ દ્વારા દીકરીઓને સોના ચાંદીના આભૂષણો તથા કુલ 51 આઈટમથી વધારે વસ્તુઓ કરિયાવારમાં આપવામાં આવશે .
શ્રી રઘુવંશી સેવા સમિતિના સભ્યો ભરતભાઈ રાચ્છ, નીલેશભાઈ રાજા, નીલેશભાઈ ખખ્ખર, વિરલભાઈ બુદ્ધદેવ, પરેશભાઈ કાનાબાર, અમિતભાઈ ગણાત્રા, હિતેશભાઈ સચદેવ, જીતુભાઈ પૂજારા, આનંદભાઈ સેતા, જીનેશભાઈ કાનાબાર , જતીનભાઈ કારીયા, નૈમિષભાઈ પંડિત, પ્રતિકભાઈ હાલાણી , ભાવિનભાઈ ઘેલાણી, નિખિલભાઈ છગાણી, સાગરભાઈ જોબનપુત્રા, જીગ્નેશભાઈ પોપટ, નેહલભાઈ કોટક, અમિતભાઈ પંડિત, તેજસભાઇ બારા તથા અન્ય સભ્યો દ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ખૂબ જ સારું થાય એવા પ્રયત્નો અને મહેનત કરી રહ્યા છીએ .
આ આયોજનને સ્વીકારવા બદલ તમામ જ્ઞાતિ જનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
નોંધ:- 1. આ આયોજન ફક્ત રઘુવંશી સમાજ માટે છે.
2. વહેલા તે પહેલાના ધોરણે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે.
વધુ માહિતી માટે, રઘુવંશી સેવા સમિતિ(મોરબી) ઓફીસ:- ખોડિયાર ટ્રેડ સેન્ટર , પેહલો માળ, નવા ડેલા રોડ, મોરબી..
ફોર્મ અને સંપર્ક માટે:- પરેશભાઈ કાનાબાર:- ૯૩૭૬૦૪૯૯૯૯,
મોરબી શહેરમાં નવરંગ નેચરલ કલબ દ્વારા તા. ૧૪-૦૫-૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૦૮ થી ૦૧ કલાક દરમ્યાન મોરબી-૨ રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
જેમાં ફુલ છોડના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દરેક...
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહાનગરપાલિકા ની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે ડે. – એન.યુ. એલ. એમ. યોજના અંતર્ગત બનેલા સખી મંડળો તથા સ્થાનીક મહિલાઓ માટે ઘરે બેઠા આર્થિક પ્રવૃત્તિ માટે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સખી મંડળની બહેનો ઘરેબેઠા પોતાની આજીવિકા મેળવી શકે તે માટે ઇન્મીટેશન...