રાજકીય સામાજિક આગેવાનો સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
હળવદ: શકિતનગર આવેલ નકલંક ગુરુધામ ખાતે ગૌ શાળા ના લાભાર્થે ૧૮/૦૪ થી ૨૪/૪ સુધી રામદેવ રામાયણ કથા નો ધામધૂમપૂર્વક પ્રારંભ થયો હતો. વક્તા શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા કથાનું અમુતપાન કરાવવામાં આવ્યું હતું.રામદેવ પીર બાબા નો જન્મ,રામદેવજી વિરમદેવજી ના વિવાહ, સગુણા બેન ના લગ્ન,હરજીભાઠી નું મિલન વગેરે પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.રોજ સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું.
કથા ના સમાપન દિવસે ૫૧ કુંડી વિષ્ણુયાગ નું આયોજન કરવામાં આવ્યું હતું. નકલંક ગુરૂધામ ના મહંત દલસુખરામ મહારાજ, પરમ પૂજ્ય ગુણવંતી દેવી લેસ્ટર,પીપળી ધામ મહંત વાસુદેવબાપુ, મુખી મહારાજ, તેમજ અનેક સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, યોગી મહારાજ તેમજ નકલંક ગુરુધામ ના સ્વયંમ સેવકો દ્વારા ખુબજ સુંદર મજા નું આયોજન કરવામાં આવ્યું હતું. કથા સમય દરમિયાન ભોજન ભક્તિ ભજન નો ત્રિવેણી સંગમ સ્વયં સેવક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ...
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...