દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકોના હિતને લગતા કેસોની સુનાવણીની કામગીરી હાથ ધરાશે
મોરબી: નાગરિકોને ગ્રાહક તકરાર નિવારણ માટે કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગ સતત પ્રયત્નશીલ છે. ત્યારે મોરબી ખાતે કન્સ્યુમર કોર્ટનું રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ વી.પી. પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ વી.પી.પટેલે જણાવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લાના ગ્રાહક તકરારને લગતા કેસની સુનાવણી રાજકોટ ખાતે કરવામાં આવતી હતી. મોરબી ખાતે જ કન્સ્યુમર કોર્ટનો પ્રારંભ થતા હવે જિલ્લાવાસીઓને ઘર આંગણે જ ન્યાય મળી રહેશે, રાજકોટ સુધી જવું નહીં પડે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર ગુરૂવારે કન્સ્યુમર કોર્ટ ખાતે ગ્રાહક તકરારને લગતા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે વી.પી. પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તક્તી અનાવરણ, દીપ પ્રાગટ્ય તેમજ રીબીન કાપીને કન્સ્યુમર કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વી.પી. પટેલ સાથે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) પ્રમુખ પી.સી. રાવલ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) પ્રમુખ કે.એમ. દવે, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) સભ્ય એસ.એમ. ભટ્ટ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સભ્ય ટી.જે. સાંકલા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ મદદનીશ નિયામક કુલદીપ સરવૈયા તથા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ ખાતે પ્રેક્ટિસ કરતા વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં...
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા,...