મોરબી એલસીબી ટીમે આઇસરમાં ભુસાની આડમાં દારૂ-બિયરની હેરાફેરી કરવામાં આવતી હતી તેનો પર્દાફાશ કર્યો
માળીયા (મી) નજીક થી પસાર થતા આઇસરમાંથી 11148 બોટલ દારૂ તેમજ 4080 બિયર સાથે એક ઝડપાયો છે તેની પાસેથી માલ મોકલાવનારા અને ભરાવનાર બે ના નામ આવેલ છે જેથી તે બંને ને શોધવાની કવાયત કરવામાં આવી રહી છે અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સ વિરિદ્ધ ગુનો નોંધાયો છે
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે અમદાવાદ થી માળીયા મીયાણા તરફ આઇસર ગાડી માં ભરેલ પ્લાસ્ટિકની બોરીઓ ની આડ માં વિદેશી દારુનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે જેથી વોચ ગોઠવી હતી અને પોલીસે દારૂ અને બિયર કરેલા આઇસર સાથે હાલમાં બળવંતસિંહ સોનારામ બિશ્નોઈ રહે. શિવાડા,તાલુકો ચિતલવાના જિલ્લો.જાલોર રાજસ્થાનની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ મોકલનાર વિનોદ સિંધી રહે વડોદરા અને માલ ભરાવી આપનાર માધુસિંગ રાજપૂત રહે ઉદયપુર રાજસ્થાન વાળા ના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જે આઈસર ગાડીમાંથી પોલીસે મેકડોવેલ્સ વ્હીસ્કી નાની મોટી બોટલ નંગ ૧૦,૫૩૬ કીમત રૂ ૨૦,૩૭,૦૦૦ રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૬૧૨ કીમત રૂ ૩,૧૮,૨૪૦ કિંગ ફિશર બીયર ટીન નંગ ૯૬૦ કીમત રૂ ૯૬,૦૦૦ અને ગોડફાધર બીયર ટીન નંગ ૩૧૨૦ કીમત રૂ ૩,૧૨,૦૦૦ તેમજ આઈસર ગાડી જીજે ૦૬ ઝેડઝેડ ૩૨૦૬ કીમત રૂ ૫ લાખ, મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને રોકડ રૂ ૨૬૬૦ મળીને કુલ રૂ ૩૨,૭૦,૯૦૦ નો મુદામાલ જપ્ત કરી કરવામાં આવ્યો હતો
મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે.
એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન ભૂતપૂર્વ...
મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે...
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...