વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે!
ગાંધીનગર: 17 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ આવતીકાલે૨/૬/૨૦૨૨ના રોજ ભાજપમાં સામેલ થશે. પાટીદાર આંદોલનથી હીરો બનેલા હાર્દિક પટેલે ભાજપ અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને લઈ અશોભનીય શબ્દો ઉચ્ચાર્યા હતા. ભાજપ સરકારને ઉથલાવવા બેફામ નિવેદનો અને આક્ષેપો કરી આંદોલન કરનારા અને કોંગ્રેસનો પંજો છોડી કમળ પકડનારા હાર્દિકના ભાજપ પ્રવેશની તારીખ અને સમય સામે આવતાં જ ભાજપના નેતાઓમાં ગણગણાટ શરૂ થયો છે.
ભાજપના ઘણા નેતાઓ કહી રહ્યા છે કે, હાર્દિકના ભાજપ પ્રવેશથી તેમના કાર્યકરોની દયા આવી રહી છે. જેમની સામે આંદોલન કર્યું તેમના માટે હવે ખુરશી સાફ કરવી પડશે. ભાજપ કાર્યકરોએ હવે હાર્દિકને કમને સાહેબ કહેવું પડશે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે. હાર્દિકનું સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને ભાજપથી રીસાયેલા પાટીદારોને મનાવવા માટે ભાજપે આગામી એક્શન પ્લાન ઘડી લીધો છે. ભાજપ હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાના તરફેણમાં કરી શકે છે. જોકે તેના કારણે ભાજપના પાયના કાર્યકરો અને નેતાઓમાં ઉકળતો ચરુ છે પણ પક્ષની મર્યાદાના કારણે ખુલ્લેઆમ વિરોધ નથી કરી રહ્યા.
કેટલાંક નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. તેના પાટીદાર આંદોલનના સાથી વરૂણ પટેલ ભાજપમાં છે તેની હાલત જોવા જેવી છે, જ્યારે રેશમા પટેલ ભાજપ છોડીને એનસીપીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાંથી આવેલા ઘણા નેતાઓનો ઉપયોગ કરી લીધા બાદ તેમને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે, હાર્દિક સાથે પણ આવું જ થશે.
10 નવેમ્બર 2025 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ ની સારવાર માં દાખલ થયા. જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દી નું હૃદય...
મોરબી શહેરમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે ત્યારે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા રૂષભ પાર્ક સોસાયટી રહિશો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે રૂષભપાર્ક સોસાયટી ન્યુ ચંદ્રેશનગર ની બાજુમાં યદુનંદન રર ની પાછળ આવેલ છે સૌ...
સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં B.L.O ઘરે ઘરે જઈને એક વાર ગણતરી પત્રક પોહચાડે છે અને માહિતી મેળવે છે ત્યારે કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્ય સરકારના મુખ્ય ચુંટણી કમીશ્નરને લેખિત રજુઆત કરી S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની...