વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે!
ગાંધીનગર: 17 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ આવતીકાલે૨/૬/૨૦૨૨ના રોજ ભાજપમાં સામેલ થશે. પાટીદાર આંદોલનથી હીરો બનેલા હાર્દિક પટેલે ભાજપ અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને લઈ અશોભનીય શબ્દો ઉચ્ચાર્યા હતા. ભાજપ સરકારને ઉથલાવવા બેફામ નિવેદનો અને આક્ષેપો કરી આંદોલન કરનારા અને કોંગ્રેસનો પંજો છોડી કમળ પકડનારા હાર્દિકના ભાજપ પ્રવેશની તારીખ અને સમય સામે આવતાં જ ભાજપના નેતાઓમાં ગણગણાટ શરૂ થયો છે.
ભાજપના ઘણા નેતાઓ કહી રહ્યા છે કે, હાર્દિકના ભાજપ પ્રવેશથી તેમના કાર્યકરોની દયા આવી રહી છે. જેમની સામે આંદોલન કર્યું તેમના માટે હવે ખુરશી સાફ કરવી પડશે. ભાજપ કાર્યકરોએ હવે હાર્દિકને કમને સાહેબ કહેવું પડશે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે. હાર્દિકનું સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને ભાજપથી રીસાયેલા પાટીદારોને મનાવવા માટે ભાજપે આગામી એક્શન પ્લાન ઘડી લીધો છે. ભાજપ હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાના તરફેણમાં કરી શકે છે. જોકે તેના કારણે ભાજપના પાયના કાર્યકરો અને નેતાઓમાં ઉકળતો ચરુ છે પણ પક્ષની મર્યાદાના કારણે ખુલ્લેઆમ વિરોધ નથી કરી રહ્યા.
કેટલાંક નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. તેના પાટીદાર આંદોલનના સાથી વરૂણ પટેલ ભાજપમાં છે તેની હાલત જોવા જેવી છે, જ્યારે રેશમા પટેલ ભાજપ છોડીને એનસીપીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાંથી આવેલા ઘણા નેતાઓનો ઉપયોગ કરી લીધા બાદ તેમને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે, હાર્દિક સાથે પણ આવું જ થશે.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ...
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...