કોંગ્રેસમાં હતાં ત્યારે હાર્દિક પટેલ પોતાના તેજાબી ભાષણોમાં ભાજપના ભલભલા નેતાઓને આડેહાથ લેતાં ખચકાતા નહીં હવે કોંગ્રેસ છોડતા જ હાર્દિક પટેલે કોંગ્રેસની નિતીરીતી પર ટીપણી કરી ચૂક્યા છે
ત્યારે ભરતસિંહ સોલંકી નાં નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી નેં આડેહાથ લેતા બેબાક અંદાજમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હિન્દુ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે તમને ભગવાન શ્રી રામ સાથે શું દુશ્મની છે
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ હાર્દિક પટેલે કૉંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા છે. ભરતસિંહ સોલંકીએ રામ મંદિર પર આપેલા નિવેદન બાદ હાર્દિકે કૉંગ્રેસને ટ્વિટ કરીને આડે હાથ લીધી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે, આ લોકોએ હંમેશા હિન્દુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે.આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું છે કે રામ મંદિરની ઈંટો પર કૂતરા પેશાબ કરે છે
ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે નિવેદન આપતા કહ્યું કે, રામ મંદિર માટે શિલાઓ ભેગી કરી હતી. તે શિલાઓ પર કૂતરા પેશાબ કરતા થઈ ગયા. મહિલાઓએ કુમકુમ તિલક કરીને ગામના પાદરે શિલાઓ મૂકી હતી. કુમ કુમ ચાંદલાઓ અને પૂજા કરી રામશીલા અયોઘ્યા મોકલી હતી. મંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો ભાજપે દેશને જવાબ આપવો જોઇએ.
હાર્દિક પટેલ ભાજપની પ્રશંસા કરી ચૂક્યો છે તેથી ભાજપમાં જોડાવાની સંભાવના છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હાર્દિક પટેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે અને હવે તે કોંગ્રેસ સામે ખુલીને બોલી રહ્યો છે.
અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ,...
મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની ભરમાર ચાલુ જ છે. શરૂઆતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાય શિક્ષકો અને આર.ઓ.તરીકેની કામગીરીના કારણે બાળકો ભણતરથી દૂર રહ્યા ચૂંટણી બાદ...
મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ જી.ઈ.બી.ના ટીસીમા શોક લાગતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીની સામે આવેલ જી.ઈ.બી.ના ટીસીમાં કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતા ૩૦ વર્ષીય અજાણ્યા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી...