મોરબી પંથકમાં ખનીન માફીયાઓ દ્વારા ખનીજ ચોરી ની અવારનવાર ફરીયાદો સાભળવા મળતી હોય છે પણ જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતાં ખનન માફીયાઓ નેં મોકળું મેદાન મળી રહે છે ત્યારે આવી જ એક ખનીજ ચોરી ની ફરીયાદ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ તાલુકાના પાનેલી ગામમાં ખનીજચોરી થતી રોકવા માટે ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ દ્વારા નાયબ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
જે રજુઆતમાં જણાવ્યું છે કે પાનેલી ગામના સર્વે નંબર ૧૪૦ પૈકીની જે જમીન ગામ તળ હેઠળની હોય સર્વે નંબરમાંથી રાત્રીન સમયે અજાણ્યા ઈસમો દ્વારા જેસીબીથી ગેરકાયદેસર રેતી ખનન કરીને રેતી ચોરી કરવામાં આવે છે જેથી પાનેલીના સરપંચ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે અને પાનેલી ગામમાં ચાલતી ખનીજચોરી અટકાવવા માંગ કરી છે તેમજ ગામના રહેવાસીઓને ગામતળનો પ્લોટ મળી રહે તેવી માંગ કરી છે.
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા...
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ટંકારાના છતર ગામ પાસે ક્રેટા, કિયા, અને વર્ના કારમાંથી વિદેશી દારૂની ૩૪૦ બોટલ કિં રૂ.૯,૭૫,૬૦૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨૨,૪૦, ૬૦૨ નાં મુદામાલ સાથે ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા...