મોરબી પંથકમાં ખનીન માફીયાઓ દ્વારા ખનીજ ચોરી ની અવારનવાર ફરીયાદો સાભળવા મળતી હોય છે પણ જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતાં ખનન માફીયાઓ નેં મોકળું મેદાન મળી રહે છે ત્યારે આવી જ એક ખનીજ ચોરી ની ફરીયાદ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ તાલુકાના પાનેલી ગામમાં ખનીજચોરી થતી રોકવા માટે ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ દ્વારા નાયબ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
જે રજુઆતમાં જણાવ્યું છે કે પાનેલી ગામના સર્વે નંબર ૧૪૦ પૈકીની જે જમીન ગામ તળ હેઠળની હોય સર્વે નંબરમાંથી રાત્રીન સમયે અજાણ્યા ઈસમો દ્વારા જેસીબીથી ગેરકાયદેસર રેતી ખનન કરીને રેતી ચોરી કરવામાં આવે છે જેથી પાનેલીના સરપંચ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે અને પાનેલી ગામમાં ચાલતી ખનીજચોરી અટકાવવા માંગ કરી છે તેમજ ગામના રહેવાસીઓને ગામતળનો પ્લોટ મળી રહે તેવી માંગ કરી છે.
મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની 34 મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ઉપપ્રમુખ જયંતીભાઈ કુંડારીયાની અધ્યક્ષતામાં મોરબીના રવાપર દ્વારકાધીશ ફાર્મ ખાતે યોજાઈ હતી.
આ સાધારણ સભામાં મંડળીના તમામ સભાસદો ઉપસ્થિત રહ્યાં. નાના એકમથી શરૂ થયેલી આ મંડળી આજે વટવૃક્ષ બનીને ઉભી છે. સભાસદોને રૂપિયા 1800000/- અઢાર લાખ જેટલી માતબર...
મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા હંમેશા સામાન્ય પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય અને વંચિત પરિવારને તથા ગંગા સ્વરૂપ બહેનો અને તેમની દીકરીઓને પગભર કરવા માટે નવ જેટલા સિવણ કેન્દ્રો તેમજ ત્રણ જેટલા બ્યુટી પાર્લર કેન્દ્રો ચલાવવામાં આવે છે.
જેના ભાગરૂપે ગ્રીનચોક પાસે આવેલા કુબેરનાથ મંદિરની બાજુમાં આવેલ લુહાર શેરીમાં...