રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગાંધીનગર ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર મોરબી જિલ્લા રમતગમત અધિકારી કચેરી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત 11 મો ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાનું સ્કેટિંગ સ્પર્ધા નું આયોજન તારીખ 24, 3, 2022 ને ગુરુવાર ના રોજ યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી મોરબી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ના મુખ્ય મહેમાન પદે અને યુનિક સ્પોર્ટ્સ એકેડમી ના સંચાલકો દ્વારા આયોજિત કરવામાં આવ્યું સ્થળ સંચાલક તરીકે કિરીટભાઈ દેકાવડીયા દ્વારા કરવામાં આવ્યું
રેફરી તરીકે સિદ્ધાર્થ ભાઈ વ્યાસ રાજકોટ ની ટીમ દ્વારા કાર્યક્રમને સુપેરે પાર પાડવામાં આવ્યો આ કાર્યક્રમનું ઓપનિંગ ભારતીય સંસ્કૃતિ મુજબ નારિયેળ ફોડી ને કરવામાં આવ્યું સાથે સ્કેટિંગમાં અંડર ઇલેવન થી ફ્લેગ હોસ્ટીગ લવજીભાઈ દેકાવડિયા દ્વારા આપવામાં આવ્યું સાથે મોરબી જિલ્લાના તમામ તાલુકા માંથી આવેલા રમતવીરોને લીંબુ શરબત અને પફ નો નાસ્તો યુનિક સ્પોર્ટ્સ એકેડમી તરફથી કરાવવામાં આવ્યો.
.નાસ્તા અને સરબત ના વિતરણ અને બનાવવા માં એકેડમી ના તમામ ભાગીદારો એ જહેમત ઉઠાવી… વ્યવસ્થિત રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો સાથે પાટીદાર ધામ મોરબી દ્વારા એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવી… જહેમંત ઉઠાવનાર કેવિન ભાઈ,નરેન્દ્ર ભાઈ,ચેતન ભાઈ,દેવરાજ ભાઈ,રામજી ભાઈ,ઘનશ્યામ ભાઈ,જયદીપ ભાઈ,ઉત્સવ ભાઈ,મયુર ભાઈ,શૈલેષ ભાઈ તમામ આયોજકોનો આ તકે યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી એ ખુબ ખુબ આભાર માન્યો
દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ ‘સહકારથી સમૃધ્ધી’ સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે. જેની ઉજવણીના ભાગરૂપે એપ્રિલ માસમાં પ્રાથમિક સેવા સહકારી મંડળીઓના સભાસદની સંખ્યામાં વધારો થાય અને જન સામાન્ય મુખ્ય આર્થિક પ્રવાહમાં જોડાય તેમજ જિલ્લાના...
મોરબી શહેરમાં આવેલ ફરવા લાયક સ્થળો પર બાકડા મુકેલ છે ત્યારે મોરબીની મયુર ચોપાટી પર છે તેનાથી વધારે બાકડા મુકવા સામાજિક કાર્યકરોએ કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, ગીરશભાઈ છબીલભાઇ કોટેચાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું...
મોરબી: મહેસાણા જિલ્લાના પામોલ ગામથી ૩૦ પદયાત્રિકો દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા યાત્રા દરમ્યાન રાત્રીના મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રોકાણ કરવામાં આવેલ એ સમયે સંસ્થા સ્ટાફ દ્વારા તેઓને રાત્રી ભોજન કરાવીને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો આ રીતે સંચાલક ટીમના પ્રતિનિધિઓ એ સરકારી વિભાગોના સુચારૂ સંકલન...