મોરબીમાં સમસ્ત ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને આધ્યાત્મિક અને વૈજ્ઞાનીક રૂપે સમજવાનો અવસરરૂપે ગૌ-વિજ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.૨૩ને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલની બાજુમાં ગૌ-વિજ્ઞાન કથા યોજાશે. જેમાં મુખ્ય વક્તા તરીકે કુલપતિ, ગવ્યસિદ્ધાચાર્ય પંચગવ્ય વિદ્યાપીઠ, કાંચીપુરમ્ તામિલનાડુથી ડો.નિરંજનભાઈ વર્મા ઉપસ્થિત રહી ગૌ માતા વિશે સમજાવશે. આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થામાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર, યંદુનનંદન ગૌ સેવા ટ્રસ્ટ, ક્રાંતિકારી સેના, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, મોરબી પાંજરાપોળ, ગૌ પ્રેમી મિત્ર મંડળ અણીયારી, ભારત વિકાસ પરિષદ, પરીશ્રમ ઔષધી વન મોરબી સહિતના ટ્રસ્ટ તથા ગ્રુપો જોડાશે. વધુ માહિતી માટે મો.9429245295 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.
મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ શહેરમાં મુખ્ય બજાર અને કોમર્શિયલ વિસ્તારમાં રાત્રી સફાઈ હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય વ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા ઝુંબેશ સહિતની કામગીરી હાથ ધરવામાં...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...