ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના માલધારી લોકોને બેઠા થાડે પ્લોટ ફાળવણીની સનદનું વિતરણકાર્યક્રમ ટંકારા ITI ખાતે સવારે યોજાયેલ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમનો પ્રારંભ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ પુંજાભાઇ માલમ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત ટંકારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા એ કર્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા પડધરી વિસ્તારના માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ , પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, ટંકારા મામલતદાર શુક્લ ,જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચાવડા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા ,ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા ,અરવિંદભાઈ વાંસદડિયા, મંજુલાબેન દેત્રોજા, પ્રભુભાઈ પનારા, હીરાભાઈ ટમારિયા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, ટંકારા સરપંચ ગોરધનભાઈ ખોખાણી, માજી સરપંચ કાનાભાઈ વગેરે ઉપસ્થિત રહેલ. માલધારી સમાજના લોકોને સનદનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા તાલુકા વિકાસ અધિકારી એચ. ડી.જાડેજા અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભીમાણીએ ખાસ જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈ એ કર્યું હતું
મોરલી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સુન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઈ લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામાં આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામાં આવી...
મોરબી મહાસંઘના કાર્યકર્તાઓએ અધિકારી અને પદાધિકારીઓને મળી કાર્યક્રમની જાણકારી આપી પોસ્ટરનું વિમોચન કર્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા તા.01-09-2025 ના રોજ ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ થવા જઈ રહી છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને...
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આ આવેદનના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડી હતી. તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે.
ત્યારે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ...