માળીયા : મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આગળ નાના દહીંસરાના પાટીયા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બગસરા ગામના બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પીપળીયા ચાર રસ્તાથી આગળ નાના દહીંસરા ગામના પાટીયા પાસેથી ગતરાત્રે બગસરા ગામના યુવાન ભરતભાઈ નાનુભાઈ વાઘેલા પોતાનું બાઈક (GJ-36-D-1455) લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈક અને છકડો રીક્ષા (GJ-36-O-6524) વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન બાઈકચાલક ભરતભાઈનું મૃત્યુ નીપજ્યું છે.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...
હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
“ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી...
મોરબીના સામાકાંઠે ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં રહેતા આરોપી અગાઉ હથીયારના ગુન્હામાં પકડાયેલ હોય અને યુવક ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકને ધોકા વડે મારમારી તથા યુવકને છરી વડે ઈજા કરી હોવાની સિટી બી ડિવિઝન...