ન્યુ પેલેસનાં પાછળના ભાગે જાળી ઝાંખડામા આગ લાગતાં ફાયર વિભાગની ટીમ પોંહચી
મોરબી પંથકમાં હમણાં આગ લાગવાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજવી પરિવારના મહેલ એવા ન્યુ પેલેસના પાછળના ભાગે આવેલ જાળી ઝાંખરામાં રવિવારે સાંજના સમયે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી.ગણતરીની મીનીટોમાં આગે મોટું સ્વરૂપ લઇ લીધું હતું અને આસપાસના વિસ્તારમાં પણ પ્રસરવા લાગી હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો સાંજે લાગેલી આગ રાત્રે 8 વાગ્યા સુધી ઘગધગતી હોવાથી આસપાસના વિસ્તારમાં પણ લોકોમાં ફફડાટ ફેલાયો હતો ફાયરની ટીમે મહા મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકી હતી આ વિસ્તારમાં અચાનક આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ કારણ સામે આવ્યું ન હતું પરંતુ તડકાના કારણે અથવા કોઈ ટીખળખોરના કારસ્તાનથી આગ લાગી હોવાની સંભાવના સેવાઈ રહી છે