Friday, March 29, 2024

પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યું, – 7 નાગરિકો ઘાયલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

 

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે.આતંકીઓએ પુલવામામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 7 નાગરિકો ઘાયલ થયા છે. સ્થાનિક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

અવંતિપોરાના એસએસપી તાહિર સલીમે જણાવ્યું હતું કે આતંકીઓએ સીઆરપીએફ પાર્ટી પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. સીઆરપીએફ ટુકડી ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત હતી, જો કે આતંકવાદીઓનું નિશાન ચૂકી ગયું અને સુરક્ષા કર્મચારી છટકી ગયા. પરંતુ આતંકીઓ દ્વારા ફેંકાયેલ ગ્રેનેડ રસ્તા પર ફૂટ્યો હતો અને 7 નાગરિકો તેની પકડમાં આવી ગયા હતા.

સુરક્ષા દળોએ તુરંત જ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓએ તક જોતા સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં તે તેનું લક્ષ્ય ચૂકી ગયા.

સ્થળ નજીક બસ સ્ટેન્ડ હોવાને કારણે ઘણા લોકો ત્યાં હાજર હતા. આ લોકો ગ્રેનેડથી ટકરાયા હતા. તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને સુરક્ષા દળો વાહનોની તલાશી લઈ રહ્યા છે.
ઘટના બાદ પોલીસે બસ સ્ટેન્ડ નજીક સુરક્ષા વધારી દીધી છે. અહીં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર