હળવદ તાલુકામાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ થઇ રહ્યો છે તેવામાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પેપરમીલ બનાવવામાં આવી છે જે પેપરમીલ થી ગ્રામજનોને અતિ દુર્ગંધ સહન કરવી પડતી હોય તેમજ પેપરમીલ ના વેસ્ટ પાણીથી લોકોને ખેતીમાં મા નુકસાન થતું હોવાનું તેમજ નાના બાળકોને તેમજ ગ્રામજનોને ચામડીના રોગ આંખના રોગ જેવા રોગોનો ભયંકર ખતરો સેવાય રહ્યો હોવાની ભીતિ તેમજ ભારે દુર્ગંધથી લોકો ને માથાનો દુખાવો સહન કરવો પડતો હોય છે આવી અનેક સમસ્યાઓને કારણે આજે સમસ્ત સુંદરગઢ ગ્રામજનોએ એકઠા થઈને હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમજ તારીખ ૧ મે સુધીમાં લોકો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી
આ વેસ્ટ પાણીના કારણે નદીનું પાણી દૂષિત થતું હોય જેના કારણે ખેતીમાં પણ નુકસાન સહન કરવાની ફરજ પડે છે તેમજ આગામી દિવસોમાં જો આમ જ ચાલ્યું તો સમસ્ત ગ્રામજનોએ હિજરત કરવી પડે તેવો ગ્રામજનો નો આક્ષેપ, અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી જો હવે કોઈ નક્કર પરિણામ ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
રવિ પરીખ હળવદ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...
મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે...
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના...