હળવદ મા છેલ્લા ૬ વર્ષ થી ચાલતી સામાજિક સંસ્થા ની અગ્રેસર સંસ્થા એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાહત દરે ચોપડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં ૧૦ હજાર જેટલા ચોપડા વિતરણ કરવામાં આવ્યું બે દિવસનો આ કાર્યક્રમ માત્ર બે કલાકમાં પૂર્ણ થયો લોકોની ભારે ભીડને કારણે બે દિવસ માટે જે વેચાણ થવાનું હતું તે બે કલાકમાં જ પૂરું થયું હજુ પણ આગામી સમયમાં વધુ 10000 ચોપડાનું વિતરણ કરવાનું ગ્રુપના સભ્યો નક્કી કરી રહ્યા છે તેવું ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું હળવદમાં છેલ્લા છ વર્ષથી સામાજિક સંસ્થાની એક અગ્રેસર સંસ્થા કે જે હળવદમાં સમાજને ઉપયોગી બની રહી છે જેનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને જે મોંઘાદાટ શૈક્ષણિક ચોપડા લેવા પડતા હોય તેવા પરીવારો ને રાહત દરે ચોપડા મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે દાતાઓના સહયોગથી જાહેરાત લઈ ચોપડા વિતરણ કરવામાં આવે છે તેમજ જે જાહેરાત ની રકમ એકઠી થાય છે જેમાંથી દર વર્ષે ૧૦૦૦ થી વધુ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ આપવામાં આવે છે આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા
રવિ પરીખ હળવદ
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ...