હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરમાં મગફળીમાં છાંટવાની દવા પી જવાથી યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતીમાં મજૂરીકામ કરતા વિકાસભાઇ હસનભાઈ આદિવાસી (ઉંમર 30)એ મગફળીના ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાથી સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નહીં નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અમદાવાદ સીવિલ હોસપીટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં આપઘાતના આ બનાવની નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી
મોરબી: મહેસાણા જિલ્લાના પામોલ ગામથી ૩૦ પદયાત્રિકો દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા યાત્રા દરમ્યાન રાત્રીના મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રોકાણ કરવામાં આવેલ એ સમયે સંસ્થા સ્ટાફ દ્વારા તેઓને રાત્રી ભોજન કરાવીને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો આ રીતે સંચાલક ટીમના પ્રતિનિધિઓ એ સરકારી વિભાગોના સુચારૂ સંકલન...
મોરબીના સામાકાંઠે આવેલ વિધ્યુતનગર કાલીકા માતાજીના મંદિર પાછળ મફતીયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ. ૨૮૪૮ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ફરાર દર્શાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી...