હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરમાં મગફળીમાં છાંટવાની દવા પી જવાથી યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતીમાં મજૂરીકામ કરતા વિકાસભાઇ હસનભાઈ આદિવાસી (ઉંમર 30)એ મગફળીના ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાથી સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નહીં નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અમદાવાદ સીવિલ હોસપીટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં આપઘાતના આ બનાવની નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી
શ્રાવણ માસની શરૂઆત થતા જુગારીઓ મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેર જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેરમાં...
મોરબીના નાની વાવડી ખાતે દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રી માઈ ભક્તોની સેવા અર્થે શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં ઠેર-ઠેર શહેરો અને ગામડાએથી ભાવિકો ઉમટી હજારોની સંખ્યામાં પગપાળા દર્શને જતા હોય છે અને આ પદયાત્રીઓની સેવામાં યદુનંદન ગ્રુપ દ્વારા રસ્તામાં કેમ્પનું આયોજન...
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે...