રક્તદાતાઓ નેં ખોખરા હનુમાનજી ની પ્રતિમા ભેંટ આપવામાં આવશે
મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ના માજી સરપંચ સ્વ: અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે બોપલીયા પરિવાર દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવા સત્સંગ સંધ્યા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ સંધ્યા તા.3ને મંગળવારના રોજ રાત્રે 8 કલાકે CNG પંપ ગ્રાઉન્ડ, મહેન્દ્રનગર ખાતે અને બ્લડ ડોનેશન કેમ્પ સવારે 8:30 કલાકે યોજાશે.
માજી સરપંચ, મહેન્દ્રનગરના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યોમાં પોતાનું સંપૂર્ણ જીવન કાર્યો કરીને પ્રજાના હૃદયમાં સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગરના યુવાનો દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનકેશ્વરીદેવી તથા સંતોની હાજરીમાં લોકપ્રિય ભજનિક શૈલેષ મહારાજ, વિવેક સંચલા તેમજ યુવા સાહિત્યકાર રવીન્દ્ર સોલંકી શ્રદ્ધાસુમન અર્પણ કરશે. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવનકુમાર શ્રીવાસ્તવસર નાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા, સંસ્કાર બ્લડ બેન્ક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ બ્લડ ડોનેશન કેમ્પને મોરબી જિલ્લા...
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રહેવાસી ૩૦ વર્ષના દર્દી છે જે ખેતરમાં પડી ગયા હતા અને જેના લીધે પગ ધ્રુજવા, હાથ ધ્રુજવા, હાથમાં ખાલી ચડવી, ગરદન હમાં દુઃખાવો વગેરે જેવી સમસ્યા થઇ હતી. ત્યાં હોસ્પિટલમાં બતાવેલ પણ રાહત ન થતા.
આયુષ હોસ્પિટલ મોરબી ખાતે આવેલ જ્યાં, તેમના રિપોર્ટ કરતા જાણવા મળ્યું...
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના રણછોડનગરમા જલારામ એપાર્ટમેન્ટમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ કિં રૂ. ૬૪,૮૦૦ નો મુદ્દામાલ સિટી બી ડિવિઝન પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ...