ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના માર્ચ-૨૦૨૨ થી ઓનલાઇન કરવામાં આવેલ છે, અને કચેરી દ્વારા અરજદારોને અરજીમાં જરૂરી પૂર્તતા માટે send bank કરેલ અરજીઓમાં અરજદારોને તેમાં જરૂરી સુધારા વધારા કરવા માટેની આખરી તારીખ . ૩૧/૦૫/૨૦૨૨ હતી.
પરંતુ સંયુકત નિયામક(ટેક્ષ.), ગાંધીનગરના પત્ર મુજબ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મેળવવા વધુ તક આપવાના હેતુસર પોર્ટલ તારીખ-૧૮/૦૬/૨૦૨૨ સુધી જરૂરી પૂર્વતા કરી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે. જેથી પૂર્તતા સાથે અરજી કરવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબીની યાદીમાં જણાવાયું છે.
મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સિદ્ધાંત સાથે કાર્યરત
મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા આજે એક વિશેષ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના એક દિવ્યાંગ લાભાર્થીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાઈસિકલ (ત્રિપલ સાયકલ) વિતરણ કરવામાં આવ્યું.
આ ટ્રાઈસિકલ મળવાથી દિવ્યાંગ...
ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાયેલ હતી. જે ISO-TC/189 સિરામિક ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભર માંથી ૨૯ દેશ સભ્ય છે. તેમાંથી ૨૬ દેશ ના ડેલિગેશન ISO-TC/189 ની મીટીંગમાં હાજર રહેલ. આ વર્કિંગ કમીટી ની મીટીંગ ઇન્ડોનેશિયા ના યોગ્યાકર્તા શહેર માં તા.૧૩/૧૪ નવેમ્બરે આયોજીત થયેલ....