બસ સ્ટેન્ડ,મામલતદાર કચેરીનું નવ નિર્માણ ,એટીમ સુવિધા પુરીપાડવા,માળીયા – મિયાણા શહેરને સરકારી હાઈસ્કૂલ આપવા જેવી 16 માંગણી ની તંત્રમાં અનેકવાર રજુઆત કરવા છતાં પરિણામ ન આવતા આમરાંત ઉપવાસ
મોરબી : માળિયાના સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈએ આજ થી માળીયા તાલુકાને વિકસિત બનાવવા માટે તંત્ર સામે જંગ છેડી છે અને જ્યાં સુધી આ પ્રશ્નોનો નિકાલ ન કરાઇ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.
માળીયાની સરકારી હોસ્પિટલમાં અધિક્ષક સહિતની ખાલી જગ્યા ભરવા, હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર જર્જરિત હાલતમાં હોય રીનોવેશન કરવા, માળિયામાં ફરીથી એસએસસી બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ચાલુ કરવા, માળીયામાં સ્ટેટ હાઇવેને જોડતા માર્ગો બિસ્માર હોય,માળીયામાં બસ સ્ટેન્ડ, તાલુકા વિકાસ અધિકારી કચેરી, પશુ દવાખાનું, મામલતદાર કચેરીનું નવ નિર્માણ, વાંઢ વિસ્તારમાં વીજ કનેક્શનો આપવા, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ખરાબ માર્ગોની હાલત સુધારવા, રેલવે જંકશન પરથી પસાર થતી તમામ ટ્રેનોનો સ્ટોપ આપવા, આંગણવાડી બંધ હાલતમાં હોય કરવા સહિતના અનેક પ્રશ્ને સામાજિક કાર્યકર દ્વારા આજે મામલતદાર કચેરી પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
10 નવેમ્બર 2025 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ ની સારવાર માં દાખલ થયા. જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દી નું હૃદય...
મોરબી શહેરમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે ત્યારે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા રૂષભ પાર્ક સોસાયટી રહિશો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે રૂષભપાર્ક સોસાયટી ન્યુ ચંદ્રેશનગર ની બાજુમાં યદુનંદન રર ની પાછળ આવેલ છે સૌ...
સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં B.L.O ઘરે ઘરે જઈને એક વાર ગણતરી પત્રક પોહચાડે છે અને માહિતી મેળવે છે ત્યારે કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્ય સરકારના મુખ્ય ચુંટણી કમીશ્નરને લેખિત રજુઆત કરી S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની...