માળિયા (મી): માળિયા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બાબતે બગસરા ગ્રામ પંચાયત દ્વારા મોરબીના માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
બગસરા ગ્રામ પંચાયતે રજુઆતમાં જણાવાયું છે કે, માળિયા (મી.) તાલુકાના ગામ ભાવપરથી બગસરા ગામે આવવાનો મુખ્ય રસ્તો 19/07/2017 ના રોજ આ ભાવપર-બગસરા ગામનો રોડ નવો બનેલ હતો પરંતુ હાલે આ રોડ એકદમ બીસ્માર હાલતમાં છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયેલ કેમ કે આ રસ્તો બનાવેલ ત્યારે હલકી કક્ષાનું મટીરીયલ વાપરેલ છે અને આ રોડનો ગેરંટી પીરીયડ 19/07/2022 ના રોજ પુર્ણ થતો હોવાથી હાલ આ રોડની મુલાકાત લેવા અને કોન્ટ્રાકટરને આ રોડના રીપેરીંગ તથા પેચ વર્કની કામગીરી તાત્કાલીકના ધોરણે કરવા હુકમ કરવા ગ્રામ પંચાયતની માંગ અને રજુઆત છે.
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....