માળીયાના બગસરા ગામના સરપંચ તથા પંચાયતના તલાટી મંત્રી દ્વારા ગામમાં આવેલ જર્જરિત આવાસના કુલ -૪ રૂમનો તથા લોબીના કાટમાળને હટાવવા માટે પંચાયતે ગયા મેં મહિનામાં સામાન્ય સભામાં મંજૂરી મેળવી હતી. આ કાટમાળ ની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
આ હરરાજી માં ભાગ લેવા ઈચ્છતા લોકોએ એક હજાર રૂપિયા ડીપોઝીટ ભરવાની રહેશે અને કાટમાળ ની અપસેટ રકમ રૂપિયા ૧૩૪૫ નક્કી કરવામાં આવી છે. આ હરરાજી આગામી તારીખ 07-06-2022 ના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવશે તેમજ આ કાટમાળ દિવસ-7 માં (તા.08-06-2022 થી 14-06-2022) સુધીમાં કાટમાળ ખસેડવાનો રહેશે
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા એ એવી એક શાળા છે જ્યાં વિદ્યાર્થીઓનું હોલેસ્ટિક ડેવલપમેન્ટ થાય, વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
જેમ કે બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ,...
તાલુકાઓ અને નગરપાલિકાઓ માટે રૂ. ૭૦૦ લાખના ૨૫૭ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર
મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની રૂ. ૭૦૦ લાખના ૨૫૭ જેટલા વિવિધ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર...