માળીયાના બગસરા ગામના સરપંચ તથા પંચાયતના તલાટી મંત્રી દ્વારા ગામમાં આવેલ જર્જરિત આવાસના કુલ -૪ રૂમનો તથા લોબીના કાટમાળને હટાવવા માટે પંચાયતે ગયા મેં મહિનામાં સામાન્ય સભામાં મંજૂરી મેળવી હતી. આ કાટમાળ ની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
આ હરરાજી માં ભાગ લેવા ઈચ્છતા લોકોએ એક હજાર રૂપિયા ડીપોઝીટ ભરવાની રહેશે અને કાટમાળ ની અપસેટ રકમ રૂપિયા ૧૩૪૫ નક્કી કરવામાં આવી છે. આ હરરાજી આગામી તારીખ 07-06-2022 ના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવશે તેમજ આ કાટમાળ દિવસ-7 માં (તા.08-06-2022 થી 14-06-2022) સુધીમાં કાટમાળ ખસેડવાનો રહેશે
મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે.
એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન, માતૃ-પિતૃ પૂજન ભૂતપૂર્વ...
મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે...
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...