મળતી માહિતી મુજબ નાના દહીસરા ગામે રહેતા અબ્દુલભાઇ હાજીભાઇ સુમરાની 18 વર્ષીય દીકરી અનીશાબેન છેલ્લા બે ત્રણ દીવસ થી ગુમ સુમ રહેતી હતી. તેના પરિવારજનો પુછપરછ કરતા તો જવાબ આપતી અને ઉદાસ જોવા મળી હતી. ગઈકાલે તા.08/06/2022 ના 04/40 ક્લાક પહેલા તેણે અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે પોતાનો દુપટો બાંધી ગળાફાસો ખાધો હતો. પરિવારજનોને જ થતા તુરંત તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કરી હતી.આ ઘટનામાં માળીયા પોલીસે સી.આર.પી.સી.કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ...
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં ગાંડવી કેમીકલ કારખાના પાસે કલપતરુ કપંની દ્વારા ગ્રીડ ૭૬૫ કેવી લાકડીયા અમદાવાદ વીજલાઇનમા નાખવામાં આવેલ જેમાં ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર જેની કિંમત રૂપિયા ૧૩,૫૦,૦૦૦ની અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી અન્ય ચીજવસ્તુઓની નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની...