મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે એક હડકાયા કૂતરાએ આંતક મચાવતા એક ડઝનથી વધુ લોકોને બચકા ભરતા આવાં લોકોને ફરજિયાત સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી પડી છે
મહેન્દ્રનગર ગામ ખાતે રહેતા અલ્પેશભાઈ ઓડીયા એ જણાવ્યું હતું કે મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા સોસાયટી માં એક હડકાયા કૂતરાએ રીતસર આંતક મચાવતા દસ થી વધુ લોકોને બચકાં ભરી લેતા આવા લોકો સિવિલ હોસ્પિટલ ખાતે હડકવાની રસી લેવાની ફરજ પડી હતી હજુ પણ હડકાયા કુતરાનો આંતક યથાવત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જવાબદાર તંત્ર પાસે આવાં હડકાયા કૂતરા ને કાબૂમાં લેવા કે પકડવા માટે કોઈ સર સાધન ન હોય લોકો મા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે...
મોરબી જિલ્લા પાણી પુરવઠા વિભાગના સઘન પ્રયાસોથી હળવદ તાલુકાના પાંડાતિરથ ગામનો મોરબી જિલ્લાની હળવદ તાલુકા પાણી પુરવઠા વિભાગની એન.સી.ડી-૪ પાણી પુરવઠા યોજના અંતર્ગત સમાવેશ કરી જૂથ યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.
પાંડાતિરથ ગામની હાલની વસ્તી અંદાજીત ૧૬૦૦ જેટલી છે. આ ગામમાં ભૂગર્ભ સંપ અને ઉંચી ટાંકી મળીને કુલ ૧,૭૦,૦૦૦ લીટર...