મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે એક હડકાયા કૂતરાએ આંતક મચાવતા એક ડઝનથી વધુ લોકોને બચકા ભરતા આવાં લોકોને ફરજિયાત સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી પડી છે
મહેન્દ્રનગર ગામ ખાતે રહેતા અલ્પેશભાઈ ઓડીયા એ જણાવ્યું હતું કે મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા સોસાયટી માં એક હડકાયા કૂતરાએ રીતસર આંતક મચાવતા દસ થી વધુ લોકોને બચકાં ભરી લેતા આવા લોકો સિવિલ હોસ્પિટલ ખાતે હડકવાની રસી લેવાની ફરજ પડી હતી હજુ પણ હડકાયા કુતરાનો આંતક યથાવત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જવાબદાર તંત્ર પાસે આવાં હડકાયા કૂતરા ને કાબૂમાં લેવા કે પકડવા માટે કોઈ સર સાધન ન હોય લોકો મા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...