મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કુલની બાજુમાં અમૃત હાઈટ્સમાં રહેતા યુવાને કામ ધંધામાં મંદી હોવાથી આર્થિક સંકળામણના કારણે ડેમના પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુત તપાસ હાથ ધરી છે
આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર મૃતકને ધંધામા મંદી હોય જેથી આર્થિક સંકડામણ હોય જેથી ગઇ તા. ૭ ના રોજ પોતાના ઘરેથી નીકળી જઇ આર્થિક સંકડામણથી કંટાળી જઇ પોતે પોતાની મેળે જોધપર(નદી) ગામની સીમમા આવેલ જોગેશ્વર ફાર્મની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમા ડુબી જઇને અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં ગાંડવી કેમીકલ કારખાના પાસે કલપતરુ કપંની દ્વારા ગ્રીડ ૭૬૫ કેવી લાકડીયા અમદાવાદ વીજલાઇનમા નાખવામાં આવેલ જેમાં ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર જેની કિંમત રૂપિયા ૧૩,૫૦,૦૦૦ની અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી અન્ય ચીજવસ્તુઓની નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની...
ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે યુવકના ઘરના તાળા તોડી ધોળા દિવસે ઘરમાં ખુશી અજાણ્યા ચોર એ સમયે યુવકના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ કિંમત રૂપિયા ૪,૪૫,૦૦૦ ના મુદ્દામાલ ની ચોરી કરી લઈ ગયા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા...