મોરબી : કોઈપણ અધિકારીઓની નિમણુંક પ્રજાની સમસ્યાઓના નિરાકરણ માટે થતી હોય છે અને આમ જનતા પણ પોતાની સમસ્યાઓને લઈને અધિકારીઓને અનેક રજૂઆતો કરતી હોય છે ત્યારે અધિકારીઓ પણ પ્રજાના પ્રશ્નોની ગંભીરતા પારખી તેમાં અંગત રસ લઈને સમસ્યાનો હલ કરતા હોય છે. આવો જ એક બનાવ મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના વાવડી રોડ પર આવેલ સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યા હતી જે અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરતા ચીફ ઓફિસરે અંગત રસ લઈને પાણીનો પ્રશ્ન હલ કર્યો હતો.
મોરબીના વાવડી રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટી, મારુતિનગર સોસાયટી, વાટિકા સોસાયટી, સંત કબીરનગર સહિતની સોસાયટીઓમાં ભરઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાય હતી જેથી સ્થાનિકોએ નગરપાલિકા તેમજ કલેકટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજુઆત કરી હતી જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના તંત્રએ આ સોસાયટીઓના પાણી પ્રશ્નનો ટૂંકા સમયમાં હલ કરતા સોસાયટીના રહેવાસીઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરનું હારતોરા કરીને સન્માન કરાયું હતું અને પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...