મોરબી : કોઈપણ અધિકારીઓની નિમણુંક પ્રજાની સમસ્યાઓના નિરાકરણ માટે થતી હોય છે અને આમ જનતા પણ પોતાની સમસ્યાઓને લઈને અધિકારીઓને અનેક રજૂઆતો કરતી હોય છે ત્યારે અધિકારીઓ પણ પ્રજાના પ્રશ્નોની ગંભીરતા પારખી તેમાં અંગત રસ લઈને સમસ્યાનો હલ કરતા હોય છે. આવો જ એક બનાવ મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના વાવડી રોડ પર આવેલ સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યા હતી જે અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરતા ચીફ ઓફિસરે અંગત રસ લઈને પાણીનો પ્રશ્ન હલ કર્યો હતો.
મોરબીના વાવડી રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટી, મારુતિનગર સોસાયટી, વાટિકા સોસાયટી, સંત કબીરનગર સહિતની સોસાયટીઓમાં ભરઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાય હતી જેથી સ્થાનિકોએ નગરપાલિકા તેમજ કલેકટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજુઆત કરી હતી જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના તંત્રએ આ સોસાયટીઓના પાણી પ્રશ્નનો ટૂંકા સમયમાં હલ કરતા સોસાયટીના રહેવાસીઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરનું હારતોરા કરીને સન્માન કરાયું હતું અને પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...