મોરબી ની પરશુરામ પોટરી ભારત વર્ષમાં પોતાની એક આગવી ઓળખ ધરાવતી હતી અને અનેક કામદારો થીં ધમધમતી હતી બાદમાં સમય સંજોગોવશ પરશુરામ પોટરી બંધ થઈ જતા હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયેલી છે
હાલ પરશુરામ પોટરીના કવાટર્સમાં મજુરોના મકાનમાં મહિલા એ મકાન પચાવી પાડી ગેરકાયદેસર કબજો કરી વપરાશ ચાલુ રાiખ્યો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીની પરશુરામ પોટરીમાં રહેતા સરીતાબેન અચ્યુતભાઈ ગણપુલે એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ખીમીબેન મોતીભાઈ ભંખોડીયા એ ફરિયાદી સરીતાબેનની માલિકીનું મોરબી તાલુકાના ત્રાજપર ગામના સીટી સર્વે નંબર ૨૩૬૦/૨ પૈકીની જમીનમાં પરશુરામ પોટરીમાં મજુરોના કવાટર્સ બનાવેલ હોય જે પૈકી મકાન નંબર-૪૩ ગૌશાળા વાળી લાઈનમાં આવેલ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડી હાલમાં પણ વપરાશ ચાલી રાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...