મોરબીમાં વાહનચોરીના બનાવો ખુબ વધ્યા છે અને વાહનચોરી કરતા તસ્કરોએ પંથકમાં તરખાટ મચાવ્યો છે ત્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે બાતમદારોને પણ આ અંગે નજર રાખવા એલર્ટ કરવામાં આવ્યા હતા તે દરમિયાન મોરબી રાજકોટમાંથી ટીવીએસ મોપેડ ચોરી કરતી ગેંગના પાંચ શખ્સોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડીને 23 ચોરાઉ મોપેડ કબ્જે કર્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ રાણા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોરબીની નાની કેનાલ પાસે નંબર પ્લેટ વગરના મોપેડ લઈને 2 શખ્સ ફરતા હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન મોપેડ ચાલકને રોકાવી પૂછપરછ કરતા એકે પોતાનું નામ બલુભાઈ દેવજી વરૈયા અને રાજકોટના ભાવનગર રોડ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું તો બીજા વ્યક્તિનું નામ ડાયાભાઈ અમરશીભાઈ વડેચા અને કચ્છ જીલ્લાના આદિપુર ખાતે અંજાર રોડ પર રહેતો હોવાનું જણાવ્યું હતું જોકે તેની પાસે મોપેડના કોઈ કાગળ ન હોવાથી અને મોપેડ અંગે યોગ્ય માહિતી ન આપતા પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી તપાસ કરતા બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મોરબીના શાકમાર્કેટ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા બંને શખ્સોએ બીજા આરોપીઓ સાથે મળીને એક બે નહીં પણ 23 જેટલા ટીવીએસ મોપેડની ચોરી કર્યાની કબૂલાત આપી હતી તેમજ આરોપીઓએ ચોરી કરેલ મોપેડમાંથી 11 મોપેડ નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીક બાવળની જાળીમાં ફેંકી દીધા હતા તો 7 જેટલા મોપેડ ગાંધીધામના રહેણાંક મકાનમાં છુપાવ્યા હતા જ્યારે 3 મોપેડ વેચી માર્યા હતા. પોલીસે આ મોપેડ ચોરી કરતા બાલુ દેવજી વારૈયા, ડાયા અમરશી વડેચા, રમેશ ચતુર પટ્ટણી, દેવજી રમેશ કુંવરિયા અને કાંતિ બાબુ વડેચાને ઝડપી પાડીને રૂ. 5,75,000 ની કિંમતના કુલ 23 ટીવીએસ મોપેડ કબ્જે કરીને પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...