મોરબીમાં ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આગામી શનિવારનાં રોજ ‘કાવ્ય કળશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો યુવા દિલોની ધડકન એવા વિશ્વ વિખ્યાત કવિ કુમાર વિશ્વાસની ખાસ ઉપસ્થિત રહેશે.
આગામી તા.૧૧ને શનિવારના રોજ મોરબીના સન સિટી ગ્રાઉન્ડ (હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડ) રવાપર-નડા રોડ, ખાતે ‘કાવ્ય કળશ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કવિ ડો.કુમાર વિશ્વાસ, અમિત શર્મા, કવિ ચેતન ચર્ચીત, કવિ સુમન સુબે, કવિ સુદીપ ભોલા, તેમજ કવિ જાની બજરંગી સહીતના સાહિત્યકારો પણ કલાના કામણ પાથરશે. ત્યારે આ કાર્યક્રમને લઇ મોરબીની જનતામાં પણ ખૂબજ ઉત્સાહ જેવા મળી રહ્યો છે. તેમજ કવિ કુમાર વિશ્વાસને રૂબરૂ સાંભળવા સાહિત્ય રસીકોમાં પણ આતુરતા જોવા મળી રહી છે. ત્યારે હાલ મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોરબીની જનતા પણ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહેવા ઉમિયા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઇ ગાવડ (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબીના વીશીપરામિ રહેતો યુવક ગુમ થયેલ હોય ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.૩૫) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી...